જરૂરીયાતમંદ બહેનોને ચંપલ વિતરણ

112

ઉષાબહેન ચંદ્રવદન શાહનાં સહયોગથી સતત ૬માં વરસે જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને ચંપલ વિતરણ કરવામાં આવ્યુ.ઘરકામ, મજૂરી કામ સાથે પોતાના બાળકોનો સ્વસ્થ ઉછેર કરવા માટે જાગ્રત વાલીઓ માટેનાં વિતરણ કાર્યક્રમ સમયે શહેરનાં જાણીતા પત્રકાર બકુલભાઈ ચાતુર્વેદી તેમજ વિપુલભાઈ હીરાણી ઉપસ્થિત રહી ગરીબ પરિવારોને ચપંલનું વિતરણ કરેલ.
આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ રાજુભાઈ દવે, ટ્રસ્ટી શબનમબહેન કપાસી, નીર્મોહિબહેન ધ્રુવ, વંદનાબહેન મુકેશભાઈ ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૫૦થી વધુ બાળકો અને તેનાં વાલીઓને સંબોધતા સાહિત્યકાર નીતિનભાઈ ત્રિવેદીએ મા – બાપ બાળકો માટે શાળા બને તેવી અપેક્ષા વ્યકત કરી હતી. સંસ્થા બાલમંદિર તથા ક્રિડાગણનાં સંકલનથી યોજાયેલ કાર્યક્રમનું સંકલન હિનાબહેન તથા અંકિતાબહેન ભટ્ટએ સંભાળ્યું હતું.

Previous articleસંકુચિતતા અને સ્વકેન્દ્રિતતા ત્યજીને સૌનો સાથ-સૌનો વિકાસના મંત્રથી માં ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડવા પ્રયત્ન કરીએઃ શિક્ષણ મંત્રી
Next articleરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્રારા પ્રા.શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષણ મંત્રીને રજૂઆત