ગુરૂદ્વારા સામેથી હટાવ્યા તો ઈનારકો સામે આવ્યા..!

90

ભાવનગર મહાપાલિકા દ્વારા હજુ ગઈકાલે ગુરૂવારે ગુરૂદ્વારા સામેથી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જવાહર મેદાનની ઝુંપડપટ્ટી હટાવી હતી. ત્યાં આ ઝુંપડપટ્ટી વાળાઓએ આજે ફરી પુનઃ ઈનારકોની સામે જવાહર મેદાનમાં ફરી ઝુંપડપટ્ટીનું નિર્માણ કરવાની પેરવી ચાલુ કરી દીધી છે. એવું લાગી રહ્યુંં છે કે ટુંક સમયમાં અહી નવી ઝુપડપટ્ટી બનાવી નાખશે. દબાણ હટાવ સેલ ગમે તેમ કરે પણ અમે જવાહર મેદાન છોડવાના નથી. એવું આ ઝુંપડપટ્ટી વાળાના વર્તનથી લાગી રહ્યું છે. હવે જોવું રહ્યંુંં કે દબાણ હટાવ સેલ ત્યાં ક્યારે ઝુંપડા હટાવશે. મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા બે દિવસના વિરામ બાદ આજે પુનઃ કાર્યવાહી હાથ ધરી જવાહરમેદાનમાં બાકી રહેલાં દબાણોનો સફાયો કર્યો હતો.અને ઝુપડા ધારકો પોતાનો માલ સામાન વાહનોમાં ભરી રવાના થવા લાગ્યા હતા. ભાવનગર શહેરમાં જીદ્દી ગણાતા દબાણો પૈકી એક એવાં જવાહરમેદાનમાં વારંવાર દબાણો દૂર કર્યે ગણતરીના દિવસોમાં પુનઃ દબાણોનો ખડકલો થઈ જાય છે ત્યારે આજથી બે દિવસ પૂર્વે મહાપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા ૩૫ થી ૪૦ જેટલાં કાચાં ઝુપડાઓ દૂર કર્યાં હતાં દરમ્યાન આ ઝુંપડપટ્ટી ધારકોમા લગ્ન પ્રસંગ હોય આથી કેટલાક ઝુંપડા તંત્રએ હટાવ્યા ન હતાં અને માંગલિક પ્રસંગો સાંચવી લેવા ઝુંપડપટ્ટી ધારકોને મહેતલ આપી હતી અને પ્રસંગ પૂર્ણ થયે દબાણો સ્વંયં હટાવી દેવા તાકીદ કરી હતી આ ઝુંપડપટ્ટી ધારકોને ત્યાં પ્રસંગ પૂર્ણ થયે દબાણો ન હટાવાતા આજરોજ મહાપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ ફરી સ્થળપર પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે બાકી રહેલા દબાણો પણ હટાવ્યા હતાં જોકે ઝુપડા ધારકોએ પણ સામાન સગે વગૈ કરી ચાલતી પકડી હતી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે પરંતુ માત્ર દબાણો દૂર કરવાથી તંત્રની ફરજ પૂર્ણ નથી થતી ફરી આ સ્થળે દબાણો ન થાય એ અંગે તકેદારીની જવાબદારી પણ તંત્રની જ છે આથી હવે આ અંગે નક્કર પગલાં લેવા અનિવાર્ય હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જવાહર મેદાન ખાતે ગુરૂદ્વારા સામે થયેલી ગેરકાયદેસર ઝુંપડપટ્ટી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલે હટાવાઈ હતી. અને મેદાન સાફ કરી દેવામાં આવ્યુ હતું. પરંતુ ઝુંપડપટ્ટીના કેટલાક પરિવારે દ્વારા જાણે કે જવાહર મેદાનમાં રહેવું હોય તેમ ગુરૂદ્વારા સામેથી તંત્ર દ્વારા હટાવાતા કેટલાક પરિવારો ઈનારકો સામે જવાહર મેદાનમાં આવી ગયા હતા અને ઝુંપડા બાંધવાની તૈયારી કરવા લાગ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ફરીથી ઝુંપડપટ્ટી ઉભી ન થાય તે જોવું રહ્યું.

Previous articleરાણપુરમાં મોડેલ સ્કુલ ખાતે આઈ.ટી.આઈ.દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
Next articleરાજકોટમાં રૂ. ૯.૪૪ લાખના ભંગાર ચોરી પ્રકરણમાં ભાવનગરના ૯ ઝડપાયા