સુભાષનગરમાં બેંક કર્મચારીના મકાનમાંથી 24 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી

58

ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર આવેલ નેચરલ પાર્ક ની પાછળ માનસ શાંતિ પાર્કમાં આવેલ બંધ મકાન માંથી તસ્કરો ત્રાટકી 24 હજારના સોના-ચાંદીના દાગીના ની ચોરી કરી પલાયન થઈ ગયા,

ઘોઘા રોડ પોલીસ મથકમાં શહેરના સુભાષનગર વર્ષા સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ વાલજીભાઈ પરમારે એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે ગતરાત્રીના તેમના ભાઈ કે જેઓ રાજકોટ બેંકમાં નોકરી કરતા તેમના ભાઈ જગદીશભાઈ પરમારનું મકાન શહેરના સુભાષનગર નેચરલ પાર્કની પાછળ શાંતી પાર્કમાં આવેલું છે તેમના ભાઈ બહારગામ રહેતા હોવાથી બંધ મકાનમાં ગતરાત્રીના સુમારે કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા તોડી મકાનમાં પ્રવેશ કરી બે સોનાની વીટી તથા ચાંદીના દાગીના સહિત કુલ રૂા.24,500ની માલમત્તાની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા. આ બનાવની ગૌતમભાઈએ સ્થાનીક ઘોઘારોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આ બનાવની તપાસ હાથ ધરી છે.

Previous articleશિશુવિહાર બુધસભામાં આધ્યાત્મિક પ્રવચનનો કાર્યક્રમ યોજાયો
Next articleગારિયાધારથી પાલિતાણા રોડ પર ખાનગી ટ્રાવેલ્સમાં અગમ્ય કારણોસર આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી