ભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે એકપણ કેસ ન નોંધાતા રાહત

291

શહેરમાં ૩ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૩ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર જિલ્લામાં એકપણ કેસ ન નોંધાતા રાહત, શહેર અને ગ્રામ્યમાં આજે એકપણ કેસ ન નોંધાયા, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.શહેરમાં ૩ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૩ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૪૩ કેસ પૈકી હાલ ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleસર ટી હોસ્પિટલ ઇએનટી વિભાગમાં આગની સફળ મોકડ્રીલ
Next articleસારંગપુર સ્વામિનારાયણ મહાવિદ્યાલયનું ગૌરવ