ભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત, ૧ ડિસ્ચાર્જ

60

શહેરમાં ૭ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૭ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર શહેરમાં આજે એકપણ કેસ ન નોંધાયા હતા, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો,
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૭ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૭ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૫૦ કેસ પૈકી હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગરમાં સિંગલ સ્ક્રીન સિનેમાનો યુગ આખરે આથમી ગયો
Next articleપારાના શિવલિંગના દર્શન હવે ફક્ત બે દિવસ