ભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત

232

શહેરમાં ૫ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૫ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર શહેરમાં આજે એકપણ કેસ ન નોંધાયા હતા, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૫ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૫૦ કેસ પૈકી હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleકોર્પોરેશન ૩ સ્થળે બનાવશે પાર્ટી પ્લોટ
Next articleશેઠ ટી બી જૈન ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ગ્રાહક જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કર્યું