હોળી પહેલા શેરબજારમાં દિવાળી જેવો માહોલ

51

શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૧૦૩૯ પોઈન્ટ ઊછળ્યો, નિફ્ટી ૩૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬,૯૭૫ પર બંધ, મંગળવારે બજારમાં મોટા કડાકો જોવાયો હતો પણ બુધવારે સવારથી જ બજારમાં તેજી જોવા મળી
મુંબઈ, તા.૧૬
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર મજબૂત ગતિ સાથે બંધ થયું હતું. જ્યારે બીએસઈ સેન્સેક્સ ૧૦૩૯ પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ ૧૬૯૭૫ના સ્તરને પાર કરીને ૩૧૨ પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર પૂરો કર્યો હતો. વિશ્વભરના રોકાણકારોના સકારાત્મક સેન્ટિમેન્ટને કારણે અમેરિકી બજારોમાં તેજીથી સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી છે. એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, મારુતિ, આઈસીઆઈસીઆઈ બેંક અને વિપ્રો સેન્સેક્સના શેરોમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું અને મજબૂત ગતિ સાથે બંધ થયું હતું જ્યારે સમગ્ર દિવસ દરમિયાન તેજી સાથે વેપાર થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૦૩૯ પોઈન્ટ અથવા ૧.૮૬ ટકાના વધારા સાથે ૫૬,૮૧૭ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ ૩૧૨ પોઈન્ટ અથવા ૧.૮૭ ટકાના વધારા સાથે ૧૬,૯૭૫ પર બંધ થયો હતો. અગાઉ, બીએસઈ સેન્સેક્સ ૬૮૫ પોઈન્ટ વધીને ૫૬,૪૬૨ પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ ૧૯૬ પોઈન્ટ ઉછળીને ૧૬,૮૫૯ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૧૦૪૭ પોઈન્ટ વધીને ૫૬,૮૨૪ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી પણ ૩૧૫ પોઈન્ટના મજબૂત વધારા સાથે ૧૬,૯૭૮ પર પહોંચ્યો હતો. અગાઉ મંગળવારે શેરબજારના બંને સૂચકાંક લાલ નિશાન પર બંધ થયા હતા, છેલ્લા ટ્રેડિંગ દિવસે પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો. જ્યારે બીએસઈ સેન્સેક્સ ૭૦૯ પોઈન્ટ ઘટીને ૫૫,૭૭૭ પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ૨૨૫ પોઈન્ટ ઘટીને ૧૬,૬૪૬ પર બંધ થયો હતો. મંગળવારે બજારમાં જોરદાર ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની મૂડીમાં રૂ. ૨.૬૧ લાખ કરોડનો ઘટાડો થયો છે. બજારના નબળા વલણ વચ્ચે બીએસઈ-લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. ૨,૬૧,૧૪૫.૭૨ કરોડ ઘટીને રૂ. ૨,૫૧,૬૬,૬૩૦.૦૬ કરોડ થઈ હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઘરનું ભાડું ન આપવું એ ફોજદારી ગુનો નથીઃ સુપ્રીમ