૧૮ વર્ષથી વધુના તમામ લોકોને બુસ્ટરડોઝની તૈયારી હાથ ધરાઈ

341

અન્ય દેશોમાં કોરોનાના ખતરનાક વેવને જોતા પગલાં : સરકારની ઉતાવળનું એક કારણ એ પણ છે કે દેશમાં ચોથી લહેરનો ખતરો છે, વિશ્વનાં ઘણાં દેશોમાં સ્થિતિ વણસી રહી છે
નવી દિલ્હી, તા.૨૨
ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશોમાં ફેલાતા ખતરનાક કોરોના વેવને જોતા સરકાર બૂસ્ટર ડોઝ પર મોટી યોજના બનાવી રહી છે. હાલમાં, દેશના આરોગ્ય કર્મચારીઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બૂસ્ટર ડોઝ મળી રહ્યા છે. ઘણા દેશોમાં ઓમિક્રોનના ખતરનાક ચેપને ધ્યાનમાં રાખીને, હવે ૧૮ વર્ષથી વધુ વયના તમામ પુખ્ત વયના લોકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે સરકારના સ્તરે હાલ મંથન ચાલી રહ્યું છે કે તેને તબક્કાવાર શરૂ કરવામાં આવે કે પછી ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે બુસ્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે. બૂસ્ટર ડોઝને લઈને સરકારની ઉતાવળનું એક કારણ એ પણ છે કે દેશમાં ચોથી લહેરનો ખતરો છે. બીજી તરફ, વિશ્વના ઘણા દેશોમાં સ્થિતિ વણસી રહી છે. આવી સ્થિતિમાં સરકાર પોતાની તૈયારી મજબૂત રાખવા માંગે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉંમરની લાયકાત સાથે, સરકાર અન્ય ઘણા પરિબળોનું મૂલ્યાંકન કરી રહી છે, જેમ કે રસીનું ઉત્પાદન અને સમયસર સપ્લાય કેવી રીતે કરવામાં આવશે અને બૂસ્ટર ડોઝ કેટલા જલ્દી ઉપલબ્ધ કરાવી શકાય. એવું ચોક્કસપણે માનવામાં આવે છે કે સરકાર સમગ્ર દેશમાં બૂસ્ટર ડોઝ લગાવવાનું ચાલુ રાખશે અને હાલમાં તે છૂટક બજારમાં ઉપલબ્ધ નહીં કરે. અમેરિકાના ટોચના ચેપી રોગ નિષ્ણાત ડૉ. એન્થોની ફાઉચીએ ચેતવણી આપી છે કે કોવિડ-૧૯ના ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ચેપી સબ-વેરિઅન્ટ બીએ.૨ ટૂંક સમયમાં યુએસમાં કોરોના વાયરસના કેસમાં વધારો કરી શકે છે. બીજી તરફ, જાન્યુઆરી ૨૦૨૧ પછી પ્રથમ વખત ચીનમાં કોવિડ દર્દીનું મોત થયું છે. દક્ષિણ-પૂર્વ એશિયા અને યુરોપના કેટલાક દેશોમાં નવા કેસોના સતત વધતા ભારણ વચ્ચે, ભારતના નિષ્ણાતો માને છે. કે ભારતમાં વ્યાપક રસીકરણ કવરેજ અને ચેપ પછી ઉદ્ભવેલી રોગપ્રતિકારક્તાને જોતાં ભાવિ લહેર ગંભીર અસર કરશે તેવી શક્યતા ઓછી છે. સૂત્રોએ જણાવ્યું કે, ’વિશ્વના ઘણા ભાગોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને એન્ટી-કોવિડ રસીના બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા માટે પણ વિચાર કરી રહી છે. ’દેશમાં ગત ૧૬ માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ, ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ શરૂ થયો હતો. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટી-કોરોનાવાયરસ ચેપ રસીકરણ સંબંધિત સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ નવીન ચાવલાની બેન્ચે કહ્યું કે સ્ટેટસ રિપોર્ટ ત્રણ અઠવાડિયામાં સબમિટ કરવો જોઈએ. આ મામલાની આગામી સુનાવણી માટે ૧૨ મેની તારીખ નક્કી કરવામાં આવી છે. ૧૨ વર્ષની સગીર છોકરીએ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. કોર્ટે ૧૨-૧૭ વર્ષની વયના બાળકોને તાત્કાલિક રસીકરણના નિર્દેશનની વિનંતીની પણ નોંધ લીધી હતી. એવું કહેવામાં આવ્યું છે કે ચેપની હવે પછીની લહેર તેમને વધુ અસર કરી શકે છે.

Previous articleટીએમસીના નેતાની હત્યા બાદ ભડકેલી હિંસામાં ૧૦નાં મોત
Next articleરાજ્યપાલ, મુખ્યમંત્રી શનિવારે ભાવનગરમા