યોગીના શપથ ગ્રહણમાં ફિલ્મી કલાકારો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ મોકલાયા

70

લખનૌ,તા.૨૪
યોગી સરકારના બીજા કાર્યકાળના શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઝીણવટભરી તૈયારીઓ કરી લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો અને ઉદ્યોગપતિઓ તેમજ ઋષિ-મુનિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડના ફિલ્મ સ્ટાર્સ પણ હાજરી આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર,કાલે ૪.૦૦ વાગ્યે લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં લગભગ ૭૦ હજાર લોકો સામેલ થશે. શપથગ્રહણની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વહીવટી સ્ટાફ વ્યસ્ત છે. રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ સિવાય કેટલાક બોલિવૂડ સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. યોગી સરકારના બીજા કાર્યકાળના શપથ ગ્રહણ સમારોહ માટે બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, કંગના રનૌત, અજય દેવગન, બોની કપૂર, અનુપમ ખેર, વિવેક અગ્નિહોત્રી સહિત ઘણા દિગ્દર્શકો, નિર્માતાઓ અને કલાકારોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.વાસ્તવમાં, ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, જ્યાં સીએમ યોગીના શપથ ગ્રહણ સમારોહમાં દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા. દેશભરમાંથી મોટા નેતાઓ અને ભાજપ શાસિત મુખ્યમંત્રીઓનો મેળાવડો પણ હશે. આ સાથે સીએમ યોગીના શપથ ગ્રહણ સમારોહ માટે રાજ્યભરમાંથી પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરોને પણ બોલાવવામાં આવ્યા છે. રાજ્યની બૌદ્ધિક અને ન્યાયિક રાજધાની કહેવાતા પ્રયાગરાજના લગભગ ૫૦૦ વિશેષ અતિથિઓને પણ સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અતિ વિશેષ મહેમાનોની સાથે ભાજપના ૪૦૦ જેટલા પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહેશે. સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ માટે પ્રયાગરાજના સાધુ-સંતોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. સંતોમાં અખિલ ભારતીય અખાડા પરિષદના મહાસચિવ મહંત હરિ ગિરી મહારાજ, મહાનિર્વાણ અખાડાના સચિવ યમુના પુરી મહારાજ, શ્રી મઠ બાગમ્બરી ગદ્દી અને બડે હનુમાન મંદિરના મહંત બલવીર ગિરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે તમામ ૧૩ અખાડાઓના પ્રતિનિધિઓને પણ શપથ ગ્રહણ માટે બોલાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ માટે બીએચયુ ચાન્સેલર જસ્ટિસ ગિરધર માલવિયા અને બીએચયુના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર જીસી ત્રિપાઠીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે બીએચયુ ચાન્સેલર જસ્ટિસ ગિરધર માલવિયાએ સ્વાસ્થ્યના કારણોસર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ માટે તેમની શુભેચ્છાઓ આપી છે. આ સાથે પદ્મશ્રીથી સન્માનિત વૈજ્ઞાનિક ડોક્ટર અજય સોનકરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સીએમ યોગીના શપથ ગ્રહણ સમારોહમાં પ્રયાગરાજના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ વકીલો, વરિષ્ઠ ડૉક્ટરો, સામાજિક કાર્યકરો અને મોટા ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જે ઉદ્યોગકારોને આમંત્રણ આપવામાં આવ્યા છે તેમાં ટાટા ગ્રુપ- એન ચંદ્રશેખરન,અંબાણી ગ્રુપ- મુકેશ અંબાણી,આદિત્ય બિરલા ગ્રુપ-કુમાર મંગલમ બિરલા,અદાણી ગ્રુપ- ગૌતમ અદાણી,મહિન્દ્રા ગ્રુપ- આનંદ મહિન્દ્રા,,હિરાનંદાની ગ્રુપ- દર્શન હીરા નન્નાદાની,લુલુ ગ્રુપ- યુસુફ અલી,ટોરેન્ટ ગ્રુપ- સુધીર મહેતા,ગોએન્કા ગ્રુપ- સંજીવ ગોએન્કા,લોઢા ગ્રુપ- અભિનંદ લોઢા

Previous articleયુક્રેને રશિયાના ૧૦૦થી વધુ ફાઈટર જેટ ધ્વસ્ત કર્યા
Next articleઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧માં ખેલ મહાકુંભનો ભાવનગરમાં સમાપન સમારોહ યોજાયો