રીક્ષા-કાર વચ્ચે અકસ્માત થતા ૧૩ વ્યક્તિને નાની મોટી ઈજા

165

નિષ્કલંક મહાદેવના દર્શન-સ્નાન કરી ભાવનગર પરત ફરી રહેલ શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ઈજાગ્રસ્તો ભાવનગરના
ભાવનગર-કોળીયાક રોડપર જૂના રતનપર ગામ ના પાટીયા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં રીક્ષામાં સવાર ૧૩ ઉતારૂઓને ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે ૧૦૮ દ્વારા સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે શહેરના એક વિસ્તારમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ બેસતા મહિના નિમિત્તે કોળીયાક સમુદ્રમાં આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન-સ્નાન માટે ગયાં હતાં જયાથી રીક્ષામાં પરત ભાવનગર આવી રહ્યાં હતાં તે વેળાએ જૂના રતનપર ગામ નજીક આડી સડક પાસે સામેથી આવી રહેલ કાર ચાલકે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષામાં સવાર ૧૩ મુસાફરોને નાનીમોટી ગંભીર ઈજા સાથે ૧૦૮ દ્વારા તત્કાળ ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસ કાફલો તથા હાઈવે ટ્રાફિક પોલીસ નો સ્ટાફ સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Previous articleમાઢીયા પ્રાથ.શાળા બની સાબરમતી આશ્રમ-વિદ્યાર્થીઓ બન્યા ગાંધીજી અને તેના સ્વયંસેવકો
Next articleશહેરમાં ચેટીચંડની ઉજવણી