સિહોરના પાંચ તલાવડા બાયોમાસ પાવર પ્લાન્ટમાં લાગેલી વિકરાળ આગ 11 કલાકે કાબુમાં આવી

215

રાત્રિના અઢી વાગ્યે લાગેલી આગ 11 કલાકની જહેમત બાદ કાબુમાં આવી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામ નજીકના પાંચ તલાવડા ખાતે આવેલા ભાવનગર બાયોમાસ પાવર પ્લાન્ટમા મોડી રાત્રે કચરા તથા લાકડાના જથ્થામા આગ લાગી હતી. જેની જાણ કરાતા તાત્કાલિક સિહોર ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 11 કલાકની મહામહેનતે આગ કાબુમાં આવી હતી.

ભાવનગર જિલ્લાના સિહોરના પાંચતલાવડા ગામે પાવર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. પ્લાન્ટમાં રહેલા લાકડાના કચરામાં વિકરાળ આગ ફેલાતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ થતા જ સિહોર ફાયરનો સ્ટાફ બે ગાડી સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી. જોકે, ત્યારબાદ 5 ગાડીઓ બોલાવી 11 કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Previous articleખાદ્ય સહાય હેઠળ ૪૦,૦૦૦ ટન ચોખાનું લોડિંગ શરૂ કરાયું
Next articleભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની બે વિદ્યાર્થિનીની વુમન ક્રિકેટ લીગમાં પસંદગી