અગ્નિશમન સપ્તાહ શહીદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવાઈ

49

અગ્નિશમન સપ્તાહ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ ધ્વારા શહીદ થયેલ ફાયરના જવાનોને આજે સવારે ૨ મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. તથા સાંજે ૭થી ૮ દરમિયાન ભાવનગર ફાયર સર્વિસના વાહનો જેવાં કે ફાયર ફાઇટર , રેસ્ક્યુ વાન, હેન્રી ફાયર ટેન્ડર, ફોમ એન્ડ ડી.સી.પી ટેન્ડર, એમ્બ્યુલન્સ, ધર્મરથ વગેરે વાહનો તેમજ ફાયર સ્ટાફ દ્વારા ફાયર સ્ટેશનથી નિકળી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર – ફાયર સ્ટેશન સુધી રેલી સ્વરૂપે વાહનોમાં જાહેર જનતાના નિદર્શન હેતુ રૂટ પર પસાર થઈ હતી. જેને મેયરના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

Previous articleજુની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોની વિરાટ રેલી
Next articleભાવનગર જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા અને ઓવરલોડ ટ્રકો સામે પગલા લેવા કલેકટરની તાકીદ