ક્રેસન્ટથી શિશુવિહાર સુધીના ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો આખરે હટાવાયા

352

ભાવનગર શહેરમાં ગેરકાયદે દબાણ કરવુ તે સામાન્ય વાત થઇ ગઇ હોય તેમ શહેરના કોઇ પણ વિસ્તારમાં જોઈએ તો દબાણ હશે જ તેની તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદ થાય અથવા કોઈ અકસ્માતનો બનાવ બને ત્યારબાદ તંત્ર દ્વારા તેને દૂર કરવામાં આવે અને તે પણ ફરી દબાણ નહી થાય તેની ગેરેન્ટી તો નહી જ આજે શહેરના ક્રેસન્ટથી શિશુવિહાર સુધીના રસ્તા ઉપરથી તંત્ર દ્વારા ગેરકાયદે લારી- ગલ્લા સહિતના દબાણો હટાવ્યા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો.

આવા તો રૂપમ ચોક સહિત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો ખડકાયેલા છે. આ તમામ દબાણો તંત્ર દ્વારા હટાવાશે? તેવા સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે.

Previous articleકાળઝાળ ગરમીથી લૂ લાગવાના બનાવો વધ્યા
Next articleપાલીતાણામાં દાઉદી વોરા સમાજના ૫૩માં ધર્મગુરૂના જન્મ દિવસની ઉજવણી કરાઈ