ખેડૂતોનાં વિવિધ પ્રશ્નો અંગે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા રેલી

722

કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ખોડીયાર મંદિર – રાજપરા ખાતેથી રેલી યોજી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કિસાન ક્રાંત ટ્રસ્ટની આગેવાની હેઠળ યોજવામાં આવેલ રેલીમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આગેવાનો દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. પાક વિમો, સિંચાઇ, સેટેલાઇટ, દ્વારા જમીન માપણી, ડા.સ્વામીનાથન કમિશનની ભલામણનો અમલ, વિજળી, રાની પશુઓનો ત્રાસ, ટેકાના ભાવે ખરીદી સહિતના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજુઆત માટે યોજવામાં આવેલ રેલીમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Previous article સિહોરમાં ફાયર સેફ્ટી અંગે તપાસ
Next articleમોતીતળાવ અલંગના ડેલામાં વિકરાળ આગ