ફી વધારાના વિરોધમાં એએસયુઆઈ દ્વારા ધરણા

876

ભાવનગર યુનિવર્સિટી દ્વારા હાલમાં વિદ્યાર્થીઓ પર ફી વધારાનો બોઝ નાખી દીધો છે. જેના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા આજરોજ ધરણાનો કાર્યક્રમ આપો હતો.  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીલક્ષી તમામ બાબતની ફી જેવી ડુપ્લીકેટ માર્કસીટ, રીએસેમેન્ટ, ફ્રી ડિગ્રી સ્ટએનરોલમેન્ટ ફી સહિતની વિવિધ ફીમાં અસહ્ય વધારા સામે ભાવનગર જિલ્લા એનએસયુઆઈ તથા રાજયપાલ નિયુકત સેનેટ સભ્ય દ્વારા આજરોજ ઈ.સી.ની મીટીંગના સમયે ધોરણાનો કાર્યક્રમ આપવામાં આવેલ પરંતુ ઈ.સી. કોરમના અભાવે મળી શકેલ નહીં. પરંતુ એનએસયુઆઈ દ્વારા હાજર રહેલ ઈ.સી. મેકબર્સને તમામ ફી વધારો પાછો ખેચવાને ફી વધારા અંગે વિદ્યાર્થી આગેવાનો સાથે આવતા દિવસોમાં સંયુકત મીટીંગ કરી નિર્ણય કરવા કુલસચિવ અને સીનીયર ઈ.સ. મેમ્બર્સને જણાવેલ જેના જવાબમાં કુલસચિવ તથા સીનીયર ઈ.સી. મેમ્બર્સ દ્વારા આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવામાં આવશે તેવું જણાવેલ.

Previous articleમહુવામાં ગરીબ પરિવારની પુત્રીએ વિદ્યા અભ્યાસમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી
Next articleરાજુલામાં અધિક માસ નિમિત્તે મહિલાઓ પ્રભુ ભકિતમાં લીન