દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૦૨ નવા કોરોનાના કેસ

37

છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ મોત નોંધાયા : દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૭,૩૧૭ થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૨૪૧ પર પહોંચ્યો છે
નવી દિલ્હી, તા.૧૬
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૦૨ નવા કેસ અને ૨૭ મોત નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૫૯ ટકા છે રવિવારે ૨૪૮૭ નવા કેસ અને ૧૩ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૨૮૫૮ નવા કેસ નોંધાયા અને ૧૧ લોકોના મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૭,૩૧૭ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૨૪૧ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૮૨,૨૪૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૧,૩૭,૩૪,૩૧૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૩,૧૦,૨૧૮ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર ૫ લાખ જેટલા છે.

Previous articleવિકસિત દેશ બનાવવા માટે મહાત્મા બુદ્ધ દ્વારા બતાવેલ માર્ગ પર ચાલો : પીએમ મોદી
Next articleઆસામમાં પૂરમાં ફસાયેલી ટ્રેનમાંથી ૧૧૯ને બચાવાયા