વિકટોરીયાની દિવાલે રેલ્વે કર્મચારીનો મૃતદેહ લટકતો મળ્યો : શંકાસ્પદ બનાવ

56

બોરતળાવના માધવાનંદ આશ્રમ પાસે મૃતદેહ લટકતો હોવાની જાણ થતા પોલીસ દોડી ગઇ
ભાવનગરમાં બોરતળાવ પાસે આવેલા માધવાનંદ આશ્રમ નજીકથી ગળેફાંસો ખાધેલી હાલતે એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે દોડી જઇ તપાસ કરતા તેના ખીસ્સામાંથી કાર્ડ મળી આવ્યું હતું જેના આધારે મરણ જનાર રેલ્વેના કર્મચારી હોવાનું અને તેનું નામ નિલેશ ચુનીલાલ પંડ્યા હોવાનુ સામે આવ્યું છે.
માધવાનંદ આશ્રમ પાસે વિકટોરીયા પાર્કની દિવાલે ગળેફાંસો ખાઇ લટકતી હાલતે એક માનવદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. જે રીતે માનવ લટકતો હતો. આ બનાવ શંકાસ્પદ જણાઇ રહ્યો છે. મૃતકે લટકી જઇ આપઘાત વ્હોરી લીધો છે કે, તેની હત્યા કરી કોઇએ આપઘાતમાં ખપાવવા મૃતદેહ લટકાવી દીધો છે તે બાબત પોલીસ તપાસનો વિષય છે. પોલીસે મૃતકના ખીસ્સા ખંખોળતા આધારકાર્ડ મળી આવ્યું હતું જેના આધારે મરણ જનાર શહેરના અનંતવાડી વિસ્તારના ક્રિસ્ટલ ફ્લેટ સામે વી.બી. વૃંદાવન પાર્ક, પ્લોટ નં.૫માં રહેતા નિલેશભાઇ ચુનીલાલ પંડ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેઓ પશ્ચિમ રેલ્વેના કર્મચારી હોવાનું પણ ખુલ્યું છે. બનાવ સ્થળે મૃતકનું એક્ટીવા સ્કુટર પણ મળી આવ્યું હતું.

Previous articleગારીયાધાર નજીક અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું થયું મોત
Next articleએસટી સ્ટેશને બનેલા બનાવમાં ભોગગ્રસ્ત વૃદ્ધ હજુ પણ બેશુદ્ધ