ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪ જુને કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ યોજાશે

38

જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વતૈયારી માટે બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪ જુન, મંગળવારે કેન્દ્ર સરકારનાં ૮ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ મહુવા એ.પી.એમ.સી. ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રી આર.સી.મકવાણાનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વતૈયારી માટે જિલ્લા સેવા સદન ખાતેના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળ, સમય અને આયોજન બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે કાર્યક્રમ અંગે જરૂરી સૂચનો કર્યા હતા. જે અંતર્ગત સરકારની ફલેગશીપ યોજનાઓના લાભ લાભાર્થી નાગરિકોને આપવા, કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, વિવિધ યોજનાઓની માહિતી અપાશે. કલેક્ટરએ વધુમાં વધુ નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે રીતનું આયોજન કરવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પ્રાદેશિક નગરપાલિકા નિયામક અજય દહિયા, પોલીસ અધિક્ષક ડો.રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિતનાં અધિકારીઓ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયાં હતાં.

Previous articleડો.પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા ઇંગ્લેન્ડ (U.K.)ની ન્યુરોલોજી વિષય અંતર્ગતની વિશ્વ કક્ષાએ સૌથી અઘરી અને પ્રખ્યાત પરીક્ષા MRCP UK Neurology exam પાસ કરવામાં આવી
Next article૮ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં નાનકડી પરી પાર્થવીએ યુનિફોર્મમાં કાલીઘેલી ભાષામાં ઓમ ભૂર્ભૂવઃ સ્વઃ ગાઇને સૌનું મન મોહી લીધું