આજે જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, ૧ દર્દી બન્યા કોરોનામુક્ત

193

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૦૪ કેસો પૈકી ૧૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૦૪ કેસ પૈકી હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૬ દર્દીઓનું અવસાન થયેલ છે.

Previous articleનેસવડ નજીક ડીહાઈડ્રેશન ફેકટરીમાં વિકરાળ આગ
Next articleભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં સ્વચ્છતાના શપથ લેવાયા