કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળાની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

11

ભાવનગર જિલ્લામાં આગામી ૨૨ જૂન થી ૨૯ જુલાઈ દરમિયાન ૧૨ ભરતી મેળા યોજાશે
ભાવનગર જિલ્લા અને શહેરમાં આગામી તા. ૨૨ જૂન થી ૨૯ જુલાઈ દરમ્યાન ગુજરાત સરકારની રોજગારવાંચ્છુકોને રોજગારી પુરી પાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા દ્વારા રોજગાર ભરતી મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તા.૨૨/૬/૨૦૨૨ ના રોજ મહિલા આઇ.ટી.આઇ. વિદ્યાનગર ખાતે, તા.૨૪/૬/૨૦૨૨ ના રોજ, મહુવા આઇ.ટી.આઇ.ખાતે, તા.૨૯/૬/૨૦૨૨ ના રોજ અને ડો.આંબેડકર ભવન- પાનવાડી ખાતે, તા.૧/૭/૨૦૨૨ ના રોજ, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની કચેરી ખાતે તા.૬/૭/૨૦૨૨ ના રોજ, આઇ.ટી.આઇ. તળાજા ખાતે, તા.૮/૭/૨૦૨૨ ના રોજ, ડો.આંબેડકર ભવન- પાનવાડી ખાતે, તા.૧૩/૭/૨૦૨૨ ના રોજ, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની કચેરી ખાતે તા.૧૫/૭/૨૦૨૨ ના રોજ, સિહોર, ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા.૨૦/૭/૨૦૨૨ ના રોજ, પાલીતાણા સતુઆબાબા બી.બી.એ. કોલેજ ખાતે તા.૨૨/૭/૨૦૨૨ ના રોજ, સિહોર આઇ.ટી.આઇ. ખાતે તા.૨૭/૭/૨૦૨૨ ના રોજ અને તા.૨૯/૭/૨૦૨૨ ના રોજ પાલીતાણા આઇ.ટી.આઇ. ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે. આ બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, મહત્તમ રોજગારી પૂરી પાડવી તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુકોને પોતાની લાયકાત અનુસાર રોજગારીની તક મળી રહે એ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર, રોજગાર અધિકારી શ્રી એસ. પી. ગોહિલ, મદદનીશ શ્રમ આયુક્ત એન. ડી. પાઠક, જી.આઇ.ડી.સી. ના મેનેજરશ્રી ટી. જે. પાઠક, જી. એમ. બી. ના અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, આર.એન્ડ બી. ના ઈજનેર, આઈ.સી.ટી ઓફિસર, જી.એમ.બી. તથા જી.પી..સી.બી. ના અધિકારીઓ તેમજ સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleપહેલા રદ કરાયેલી સેના ભરતીની લેખિત પરીક્ષા લ્યો, પછી અગ્નિપથ લાગુ કરો
Next articleફાયર અધિકારીએ પુત્ર ગુમાવ્યો છે, પણ સમાજ માટેની લાગણી ગુમાવી નથી