કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત,BCCIની મેડિકલ ટીમ સંભાળ લઈ રહી છે

10

મુંબઇ,તા.૨૭
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોરોના સંક્રમિત જણાયા હતા. બીસીસીઆઈએ ટિ્‌વટર દ્વારા આ જાણકારી આપી છે. એ પણ જણાવ્યું કે કેપ્ટન રોહિત શર્મા હાલમાં હોટલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે. આ પહેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ કારણે તે બાકીના ખેલાડીઓ સાથે લંડન ગયો ન હતો. જોકે હવે તે સ્વસ્થ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ગયા અઠવાડિયે લંડન પહોંચેલ વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. જોકે હવે તે પણ સ્વસ્થ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ ૧ જુલાઈથી શરૂ થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો એક ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ ચાર મેચ બાદ ભારતના કેટલાક ખેલાડીઓ અને કોચ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચમી ટેસ્ટ રમવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પ્રવાસમાં પણ આ જ ટેસ્ટ લેવામાં આવી રહી છે. ભારતીય ટીમ હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Previous articleઅભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બાળકો સાથે બતકને બ્રેડ ખવડાવી
Next articleખુદાબક્ષ મુસાફરી (બખડ જંતર)