વાછરડીના બન્ને પગમાં જન્મજાત ખોટ દુર કરી પીડામુક્ત કરાઇ

25

ઉમરાળાના વડોદ ગામના પશુપાલકની વાછરડીનું સફળ ઓપરેશન કરતી એનિમલ હેલ્પલાઇન
અબોલ જીવોની બોલતી સેવા એટલે ૧૯૬૨- એનિમલ હેલ્પલાઇન સેવા સરકાર દ્વારા કાર્યરત છે જે માનવો માટે ૧૦૮ની માફક કાર્ય કરે છે. આ સેવાથી છેવાડાના અને ગામડામાં રહેતાં પશુપાલકોના અનેક ઢોરોને વિવિધ રોગોથી બચાવવામાં સફળતા મળી છે. તો અનેક વિકટ ઓપરેશનો નિઃશૂલ્ક કરી આપીને પશુઓને પીડામાંથી મુક્તિ અપાવી છે. આ સેવા દ્વારા ભાવનગરના ઉમરાળા તાલુકાના પરવાળાના વડોદ ગામમાં જન્મથી જ ચાલી ન શકતી વાછરડીને બંને પગે ઓપરેશન કરીને ફરીથી ચાલતી કરી છે. વાસરડીની બંને પગે ન ચાલવાની અક્ષમતા અથવા તો રોગને વૈજ્ઞાનિક ભાષામાં ‘નકલિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પશુ ચાલી શકતું નથી. જેને કારણે તેનું હલનચલન બંધ થાય છે અને હરીફરીને ઘાસચારો ચરવાનું કે ફરવાનું બંધ થઈ જાય છે જેને કારણે પશુને ખૂબ જ મુશ્કેલી થાય છે. આ અંગે વડોદ ગામના રહેવાસી સંજયસિંહ ગોહિલ દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં પશુપાલકને જરૂરી સમજણ આપી ઓપરેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને પશુ ચિકિત્સક ડો. મૌતિક ઝાંઝમેરા તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર નિતેશ મકવાણાએ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી વાછરડીને ફરી એકવાર ચાલતી કરીને જન્મજાત ખોડખાપણમાંથી અને પીડામાંથી મુક્તિ અપાવી હતી.

Previous articleપરશુરામ પાર્કમાં મુકાશે આવી પ્રતિમા…
Next articleમોડલ ડે સ્કૂલ સણોસરામાં દ્ગઝ્રઝ્રના કેડેટ્‌સ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય