સુપ્રસિદ્ધ ગીતકાર રઈશ મણિયારના સાનિધ્યમાં તાલીમ શિબિર યોજાઈ

42

1980 થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ના ઉપક્રમે તા.6 ઓગષ્ટનાં રોજ ગુજરાતના પ્રસિદ્ધ ગઝલકાર, ગીતકાર ડો. રઈશ મણિયારનાં સાનિધ્યમાં કાવ્ય રચના તાલીમ શિબિર યોજઈ ગયો..આ પ્રસંગે બુધ સભાના સંવર્ધક કવિ ગઝલકાર શ્રી કિસ્મત કુરેશીની સ્મુતિમાં ..શિશુવિહાર સંસ્થાનાં મંત્રી શ્રી ઇન્દિરાબહેન ભટ્ટ શહેરના વરિષ્ઠ કવિ ડૉ નટુભાઈ પંડ્યા તેમજ કિસ્મત કુરેશી પરિવારના સદસ્ય ના વરદ હસ્તે ગઝલકાર ડોક્ટર રઈશ ભાઈ ને રૂપિયા 11000 તેમજ સ્મૃતિ ચિન્હ થી સન્માનિત કરવામાં આવેલ…. સવારના 9:30 થી સાંજના 4.30 સુધી યોજાયેલ તાલીમ શિબિરમાં ઉપસ્થિત શહેરના 65 થી વધુ નવોદિત સાહિત્યકારો .. ને ગીત,ગઝલ -લેખન, છાંદસ અછાંદાસ રચના આલેખન અંગે ડૉ મણીયાર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો ની મદદથીમાર્ગદર્શન આપવામા આવેલ…. સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી કૃપાબહેન ઓઝા એ કર્યું હતુ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર

Previous articleસિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર(સી. એચ. સી) હોસ્પિટલ માં બેઝિક ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ હતું
Next articleફોજીઓ માટે 2000 રાખડી મોકલાવી સ્કાઉટ ગાઈડએ.