એક આરતી રાષ્ટ્ર માટે – એક આરતી સમાજ માટે.

21

એક આરતી રાષ્ટ્ર માટે – એક આરતી સમાજ માટે એ થીમ સાથે સ્વતંત્રતા પર્વ એ ભરતનગર ભવાની માતા મંદિર ખાતે ૫૧ ફૂટ ઉંચાઈએ ૧૨ ફૂટ મોટો ત્રિરંગો લહેરાવવા સાથે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવાનીશ્વર મહાદેવની મહાઆરતી અને મહાપ્રસાદ અને રૂદ્રાભિષેક યોજાયો અનેરા ઉત્સાહ અને વરસાદી વાતાવરણ વચ્ચે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને સ્વતંત્રતા પર્વના અનેરો સંગમ સાથે રાષ્ટ્રભક્તિ અને શિવભક્તિ દ્વારા ભૂદેવો એ મહા આરતી કરી – રાષ્ટ્રની રક્ષા કાજે ફોજમાં ફરજ બજાવી રહેલા બ્રહ્મ સૈનિકો અને સમાજના રિયલ હીરોઝનું સન્માન કરાયું – વરસાદ વરસાદ વચ્ચે પણ વિશાળ સંખ્યામાં ભૂદેવો અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી સમગ્ર દેશ જ્યારે સ્વતંત્રતા પર્વની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યુ છે ત્યારે આજે ભરતનગર ખાતે આવેલ ભવાની માતા અને ભવાનીશ્વર મહાદેવ મંદિર ખાતે ૫૧ ફૂટ ઉંચાઈ ઉપર ૧૨ ફૂટ મોટો ત્રિરંગો લહેરાવવા માં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાથે સાથે યોગાનુયોગ આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને સ્વતંત્રતા પર્વનો સુભગ સમન્વય થતા સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ ભાવનગર જિલ્લા, શહેર તથા બ્રહ્મ સમાજ મહિલા પાંખ, ભરતનગર બ્રહ્મ સમાજ, પરશુરામ યુવા ગ્રુપ – ભાવનગર શહેર જીલ્લા અને બ્રહ્મ એકતા મંચના સંયુક્ત ઉપક્રમે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવાનીશ્વર મહાદેવની મહા આરતી અને મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો દેશભક્તિની થીમ સાથે ભાવેણાના ભૂદેવો શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ કરતા મેઘરાજાના અમી છાંટણા વચ્ચે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મહાદેવ અને સમાજ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા વરસતા વરસાદે પણ મહા આરતી કરી હતી આ સમયે દેશની રક્ષા કાજે સરહદ ના સીમાડે ફરજ બજાવતા રાષ્ટ્રના રિયલ હીરોઝ એવા ૧૧ જેટલા”બ્રહ્મ જવાનો” નું સન્માન કરાયું હતું જ્યારે ભરતનગર બ્રહ્મસમાજના શ્રી અમિતભાઇ ત્રિવેદી કે જેમણે સત્તત દસ વર્ષ દરમ્યાન દશ વાર અમરનાથજી ની દુર્ગમ યાત્રા કરનારનું પણ સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભા.જ.પા. અધ્યક્ષશ્રી રાજીવ પંડ્યા, ઉપાધ્યક્ષશ્રી દિવ્યા વ્યાસ, બ્રહ્મ સમાજના જિલ્લા અધ્યક્ષશ્રી ગૌતમ દવે, શહેર અધ્યક્ષશ્રી તેજસ જોશી, સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના શ્રી સુરેશભાઈ ત્રિવેદી, પૂર્વ અધ્યક્ષશ્રી રાજુભાઇ ઉપાધ્યાય, મહિલા પાંખના અધ્યક્ષ અને માજી મેયર પારુલબેન ત્રિવેદી, બ્રહ્મ એકતા મંચના ભવિનભાઈ ત્રિવેદી, બ્રહ્મ ક્રાંતિસંઘના કૌશિકભાઈ ઉપાધ્યાય, કિરીટભાઈ ભટ્ટ કેતનભાઈ વ્યાસ, મહિપતભાઈ ત્રિવેદી, સૌલ હોસ્પિટલના શ્રી યોગેશભાઈ ધાધલ્યા, મહિલા મોરચા મહામંત્રી શિલ્પાબેન દવે, વિલાસબેન પાઠક, મલ્લિક્કાબેન આચાર્ય, પ્રસન્ન યોગ ક્લાસીસના યોગા કોચ સોનલબેન જોશી, કમલેશભાઈ ઇમરજન્સી, બીપીનભાઈ શાસ્ત્રી, જીતુભાઇ બોરીસાગર, રાજેશભાઇ પંડ્યા, યુવા પ્રમુખ પ્રશાંત જાની, નિકુંજભાઇ, વિજયભાઈ જાની, મુકેશભાઈ દવે, બ્રહ્મ એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ ભરત ભાઈ બારૈયા, પરેશભાઈ પંડ્યા સહિત અનેક આગેવાનો, વકીલમિત્રો, ડોક્ટર મિત્રો, શિક્ષક મિત્રો સહિત વિશાળ સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે કાર્યક્રમને સફળ બનાવવા ભરતનગર બ્રહ્મ સમાજના પૂર્વ પ્રવક્તા આશુતોષ વ્યાસ, ભાવિન ત્રિવેદી, અમિત ત્રિવેદી, રમેશભાઈ આસ્તિક, કિરીટભાઈ ભટ્ટ, રાજેશભાઇ પંડ્યા, નિશાંતભાઈ રાજ્યગુરુ, ગૌરભાઈ ભટ્ટ, ત્યાગરાજન ઐયર, જાની દાદા, કલ્પેશભાઈ વ્યાસ, માધાભાઈ ધાધલ્યા, મયૂરભાઈ ધાધલ્યા સહિતના આગેવાનો એ મહેનત કરી હતી મહાઆરતી બાદ શિવભક્ત માધાભાઈ ધાંધલ્યા અને મયૂરભાઈ ધાંધલ્યાના યજમાન પદે મહાદેવની રૂદ્રભિષેક યોજાયો હતો સમસ્ત બ્રહ્મ સમાજે કાર્યક્રમ રદ થયાની જાહેરાત બાદ પણ ઇષ્ટદેવ મહાદેવ અને સમાજ પ્રત્યે પ્રેમ, લાગણીઓ દર્શાવી વરસતા વરસાદ વચ્ચે પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર ભાવેણા ના સૌ ભૂદેવો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

Previous articleરેડક્રોસ અને શિપરિસાયકલિંગ એશો દ્વારા અલંગ માં વિશાળ તિરંગા યાત્રા કરવા માં આવી
Next articleસોનગઢ ગુરુકુલ-ખાતે સ્વાતંત્ર્ય પર્વની થયેલી અનોખી ઉજવણી