ભાવનગરમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર અમરનાથની ઝાંખી કરાવતી બરફના શિવલિંગના દર્શન સાથે મંદિર દેશભક્તિના રંગે રગાયું

25

51 વર્ષ પેહલા પરમ પૂજ્ય સંતશ્રી બજરંગદાસ બાપાના હસ્તે શિવલિંગની સ્થાપના કરાઈ
ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાનની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભાવનગર શહેરમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણના ત્રીજા સોમવાર મંદિરને કેસરી, સફેદ અને લીલા રંગના ફુગ્ગા સાથે શણગાર કરવામાં આવ્યો છે, સાથે આજે શ્રાવણના ત્રીજા સોમવાર અમરનાથ દાદા બનાવવામાં આવે છે,આમા, મંદિર દેશભક્તિના રંગે રગાયું છે, આજે ભાવનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે અમરનાથની ઝાંખી કરાવતો બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને શારીરિક રીતે અશક્ત અમરનાથ સુધી નહિ પહોંચી શકનાર વૃદ્ધો માટે ખાસ અમરનાથનું દર શ્રાવણ માસમાં એકવાર અમરનાથની ઝાંખી કરાવતી પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવે છે, અમરનાથ બાબના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી હતી.

ભગવાનેશ્વર મહાદેવ મંદિરના પૂજારીભાઈઓ ગીરીબાપુ અને પીન્ટુબાપુ દ્વારા 6 થી 7 કલાકની મહેનત બાદ બાબા અમરનાથ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે, દરવર્ષે પવિત્ર શ્રાવણના માસમાં સોમવારના રોજ દાદાને અમરનાથની ઝાંખી કરાવતા દર્શનનો લાભ ભાવિક ભક્તો લઈ રહ્યા છે, ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલ શિવાલય આવેલું છે. જે શિવ વિહાર ટ્રસ્ટની સ્થાપના સ્વ.ભગવતસિંહજી રાણાએ કરી હતી, જ્યાં ત્રણ મંદિરો આવેલા છે જેમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના 1971માં પરમ પૂજ્ય સંતશ્રી બજરંગદાસ બાપાના વરદ હસ્તે કરવામાં આવી હતી, 1983માં અંબાજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ 1994ની સાલમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાના 4 વર્ષ અગાઉથી એટલે કે 1991ની સાલથી ભગવાનેશ્વર મંદિરેથી રથયાત્રા નીકળે છે. શિવ વિહાર ટ્રસ્ટના ટ્રસ્ટી હરપાલસિંહ રાણા એ જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં ભાવિકો માટે દરરોજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે 1988ની સાલથી શ્રાવણ માસમાં સોમવારે બાબા અમરનાથની પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવે છે, ખાસ તો વૃદ્ધા કે અશક્ત લોકો જેઓ અમરનાથ નથી જઈ શકતા તેવા લોકો માટે આયોજન કરવામાં આવે છે અને વધુમાં જણાવ્યું હતું કે જન્માષ્ટમીના પર્વ પર છેલ્લા નવ વર્ષથી શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે સાથો સાથ મોક્ષ ધામની પ્રવૃત્તિ અર્થેનું સંકુલ પણ ચલાવે છે, મહિલા સત્સંગ મંડળ પણ ચાલે છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે પણ આ ટ્રસ્ટ જોડાયેલું છે આમ સતત સેવાકીય પ્રવૃત્તિ કરતું આ ટ્રસ્ટ છે.

Previous articleમહુવા ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ
Next articleઉમરાળાના ધોળા માર્કેટીંગ ખાતે તાલુકા કક્ષાની ૭૬માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ