સિહોર જીઆઈડીસી પાસે અજાણ્યા વાહન અડફેટે એક બાઈક ચાલકનું મોત

972

ભાવનગરના સિહોર ગામે જીઆઈડીસી નજીક મોડીસાંજે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ત્રણ સવારી બાઈક પર જઈ રહેલા પરપ્રાંતિય યુવાનોને ગંભીર ઈજાઓ થતા એકનું સ્થળ પર જ મોત નિપજવા પામ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ, સિહોર જીઆઈડીસી-ર નજીક મોડીસાંજે ત્રણ સવારી બાઈક પર જઈ રહેલા પરપ્રાંતિય યુવાનોને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ત્રણ યુવાનોમાંથી એકનું સ્થળ પર જ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleગુનાના કામે એક વર્ષથી ફરાર શખ્સને ઝડપી લીધો
Next articleઢસામાં વિનામુલ્યે ચકલીના માળા અને કુંડાનું વિતરણ