પાલીતાણામા ખિલખિલાટ વાનના ડ્રાઈવરો નિયમિત પણે અનિયમીત

1329

પાલીતાણાની સીતાબા પ્રસૃતિગૃહમાં સરકારનાં ખર્ચા પાલીતાણા પંથકની મહીલાઓને વિનામુલ્યે પ્રસૃતી કરી આપવામાં આવે છે પ્રસ્તુબાદ મહિલાને ઘરે જવા માટે સરકારે એક યોજના છે જે શીશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત મહિલાની ડીલેવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપે ત્યારે નવજાત શીશુ અને મહિલાને સરકારી વાહન એટલે ખિલખિલાટ વાહનમાં ઘરે મુકવા જવાને હોય છે જે પાલીતાણામાં ખઇલખિલાટ છે. પરંતુ ગર્વમેન્ટ કોઈ કંપનીને વાહન મેન્ટેનસ, ડીઝલ, ડ્રાઈવર વિ.સુવિધા પુરી પાડવા આરોગ્ય વિબાગ પરિવાર કલ્યાણ ગાંધઈનગર દ્વારા પ્રાઈવેટ એજન્સીને કોન્ટ્રાકટ આપે છે જેને કારણે પાલીતાણામાં ખિલખિલાટ વાહન છે પરંતુ ડ્રાઈવર અનિયમીત હોય જેથી પ્રજામાં તેનો લાભ લઈ શકતા નથી આપુ. જો પ્રસુતિ મહિલા અને શીશુને સવારે ૯ થી ૬ દરમિયાન જ મુકવાના હોય છે તેમ છતાં ડ્રાઈવર અનિયમિત રહેતા હોય છે. જે તે એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.

Previous articleમહા.પા. દ્વારા ડ્રેનેઝની પ્રિમોન્સુન કામગીરી કાગળ પર કંડારી
Next articleનારી ગામના તળાવ પાસે તિનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાબાજ ઝડપાયા