પારેખ પરિવાર દ્વારા વડીલોના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરાયું

1229

કાળાનાળા ખાતે સૂર્યદીપ કોમ્પલેક્ષમાં આવેલ સુખસાગર કેમીસ્ટ દ્વારા તેમના પરિવારના સ્વર્ગસ્થ વડીલોના સ્મરણાર્થે પરિવારના નાના-મોટા સમગ્ર સભ્ય્‌ દ્વારા ૧૬ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું. ફાધર્સ-ડે નિમિત્તે સ્વ. નવનીતરાય શાંતિલાલ પારેખ, સ્વ. વસંતરાય શાંતિલાલ પારેખ તથા સ્વ. રસીલાબેન નવનીતરાય પારેખના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરિવારના દરેક સભ્યોના નામે પણ વૃક્ષારોપણ કરાયું હતું. પરિવારના નીખીલીભાઈ, જયેન્દ્રભાઈ, હિતેષભાઈ, વત્સલભાઈ, ધીમલભાઈ તથા પરિવારના અન્ય સભ્યો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરાયું હતું. આ  પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તથા કીલોનભાઈ મહેતા તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતાં. આ તબક્કે દેવનભાઈ શેઠએ પર્યાવરણના કામમાં સહકાર આપવા બદલ પારેખ પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.

Previous articleગુજરાત : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્તા માટે કોંગ્રેસ-બીજેપીની કાંટાની ટક્કર
Next articleભાવ. જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજમાં ઈનામ વિતરણ કાર્યક્રમ