તળાજાના ભેગાળી ગામનો રસ્તો તુટ્યો

1707

ભાવનગર શહેર-જિલ્લામાં બે દિવસથી મેઘરાજા તાંડવ કરી રહ્યાં છે. જેના કારણે ઘણા ખરા ગામોમાં ભારે નુકશાની થવા પામી છે. જેમાં તળાજાના ભેગાળી ગામનો મુખ્ય ડામર રોડ ભારે વરસાદના કારણે તુટી જવા પામ્યો છે. ગામમાં વસતા લોકોને આરોગ્યલક્ષી બાબતે કુંઢેલી ગામ જવાનું થાય છે. તે જ રસ્તો વચ્ચેથી તુટી પડતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા સત્વરે યોગ્ય પગલા લઈ ગ્રામજનોની મુશ્કેલી દુર કરે તેવી માંગ કરાઈ છે.

Previous articleબાબરીયાધારની નવલખો નદીમાં ખાનગી લક્ઝરી બસ પાણીમાં ડુબી
Next articleવિદ્યાર્થી ઘાતક હથિયાર લઈને નથી આવ્યો ને ? શિક્ષકો સ્કૂલ બેગ તપાસે : શિક્ષણ વિભાગ