ગઢડા તાલુકાના ઢસા ગામમાં ધુસ્યા પાણી

1355

ગઢડા તાલુકાના ઢસાગામમાં આવેલ સામાકાઠા વિસ્તારમાં ગઈકાલે બપોરના આવેલ ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં સરકારી સ્કુલોમાં  મંદિરોમાં પાણી ધુસી ગયા હતાં.

ગઢડા તાલુકાના ઢસાગામ ખાતે આવેલ શંકર પરા વિસ્તારમાં આવેલ ભારે વરસાદના કારણે મંદિર અને સરકારી સ્કુલ માં ઘરો માં પાણી ઘુસ્યા હતા.જેનું કારણ એવુ પણ જાણવા મળ્યું હતું  કે ભાવનગર રાજકોટ હાઇવે રોડ નવો બનાવા મા આવેલ જેના કારણે રોડ ની બને સાઇડ બુરી દેતા વરસાદી પાણી શંકર પરા વિસ્તારમાં ઘુસી ગયેલ જેનાં હિશાબે ઘરો મા મંદિરો મા સરકારી સ્કુલોમાં પાણી ભરાયાં  હતાં.

તંત્ર ની ધોર બેદરકારી ને કારણે શંકર પરા વિસ્તારના ગરીબ  લોકો ને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પાણી નો નિકાલ અથવા રસ્તો નહીં કરવામાં આવે તો આગલા દિવસો  માં ભારે વરસાદ ના કારણે ગરીબ લોકો ને ભારે નુકસાની નો સામનો કરવો પડે તેવું લાગી રહું છે.

Previous articleઆંબરડી પ્રા.શાળામાં રૂબેલા રસીકરણ
Next articleરાણપુરમાં જાગતી મેલડીમાતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે