અપહરણના ગુનામાં વોન્ટેડ રાણપરડાનો શખ્સ ઝડપાયો

1512

દાઠા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ફરાર રાણપરડાના શખ્સને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,દાઠા પોલીસ સ્ટેશન ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી નરેશ આણંદભાઇ બારૈયા રહે.રાણપરડા તા.મહુવા જી. ભાવનગરવાળા મહુવા,ગાંધીજીનાં પૂતળા પાસે ઉભો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નરેશ આણંદભાઇ બારૈયા હાજર મળી આવેલ.તેની પુછપરછ તેને ઉપરોક્ત ગુન્હામાં પકડવાનાં બાકી હોવાની કબુલાત કરેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને મહુવા  પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

Previous articleરાજુલા-જાફરાબાદ ટ્રક એસોસીએશન દ્વારા હડતાલને ટેકો : પૈડા થંભી જશે
Next articleભાવનગર યુનિવર્સિટીના ટોપ ટેનમાં નંદકુંવરબા કોલેજની ૧૧ વિદ્યાર્થીનીઓ