એબીપીએસએસ સંગઠનની ભાવનગર ખાતે મિટીંગ યોજાઈ

1765

અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સંગઠનની ભાવનગર સર્કીટ હાઉસ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયાની ઉપસ્થિતિમાં મિટીંગ યોજાઈ હતી.

અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ જે પત્રકારની સુરક્ષા માટેના કાયદા સહિતની બાબતે લડત ચલાવે છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા દ્વારા સમગ્ર રાજ્યમાં ફરી સંગઠનને મજબુત બનાવવા કાર્ય કરી રહ્યાં છે. જેમાં આજરોજ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ભાવનગર શહેર અને જિલ્લાના પત્રકારોની મિટીંગનું આયોજન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, રાષ્ટ્રીય સચીવ સલીમભાઈ બાવાણી, નાનુભાઈ ડાંખરા, પી.આર.ઓ. નીતિનભાઈ ગોહિલ,  ઉપપ્રમુખ દિપકભાઈ ઠકકરની જહેમતથી જીગ્નેશભાઈ કાલાવાડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં પત્રકારોને લગતા પ્રશ્નોની વિસ્તારથી ચર્ચા કરાઈ હતી તેમજ ભાવનગર એબીપીએસએસના પ્રમુખ તરીકે વિશ્નુભાઈ યાદવ અને પ્રભારી તરીકે પ્રદિપભાઈ શુકલની નિમણુંક કરાઈ હતી.

Previous articleઆંકડાની માથાકુટને બદલે એકએક બાળકને લક્ષ્યમાં રાખો : અગ્રસચિવ
Next articleબેકારીથી કંટાળી જઈ વરતેજના યુવાને ટ્રેન તળે પડતું મુકતા મોત