OBC આયોગને બંધારણીય મંજુરી અપાતા ભાજપ દ્વારા આતશબાજી

1105

ભાજપ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેે ભારત સરકારે ઓ.બી.સી. આયોગને બંધારણીય દરજ્જા સાથે ઐતિહાસિક મંજુરી આપી છે આ પગલાને આવકારવા સાથે ભાવનગર જીલ્લા અને શહેર બક્ષીપંચ મોર્ચા ઘોઘાગેટ ખાતે આતશબાજી સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે.

જીલ્લા બક્ષીપંચ મોર્ચા પ્રમુખ પ્રવિણભાઈ બારૈયા, શહેર બક્ષીપંચ મોર્ચા પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ તેમજ જિલ્લા મહામંત્રીઓ જગદિશભાઈ મકવાણા, વાસીંગભાઈ ભુવા તેમજ શહેર મહામંત્રીઓ ભલાભાઈ ચાવડા, ભાવેશભાઈ રબારી સહિત બક્ષીપંચ મોર્ચાના જીલ્લા અને શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિજયોત્સવ સાથે ઐતિહાસિક મંજુરીને આવકારેલ છે તેમજ જિલ્લામાં તમામ મંડળોમાં પણ વિજયોત્સવ મનાવવામાં આવ્યો. તમામ લોકો ભારત સરકારના આ નિર્ણયને આવકારતા જણાવેલ છે કે આ બંધારણીય આયોગથી સંવૈધાનીક સત્તા સાથે ઓ.બી.સી.માં આવતી તમામ જ્ઞાતિઓ ભારતદેશને વિકાસ પથ પર લઈ જવા સામેલ થશે, ઓ.બી.સી.સમાજપર અત્યાચારોનું નિરાકરણ આવશે.

Previous articleદહેગામ તાલુકાના મહિલા સરપંચની ‘બેટી બચાવો’ માટે અનોખી પહેલ
Next articleતહેવારો ટાણે તેલના ભાવ વધતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું