ભાવનગર જિલ્લામાંથી તડીપાર કરેલ શખ્સ મહુવાથી ઝડપાયો

1606

ભાવનગર જિલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર કરેલ શખ્સને એસઓજી ટીમે મહુવા માર્કેટીંગ યાર્ડ પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લાના પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલને મળતા તડીયાર થયેલ ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એન. જી. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ એ.એસ.આઇ. જી.પી. જાની તથા પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈ ચુડાસમાને મળેલ બાતમી આધારે ભાવનગર તથા ભાવનગરના સરહદી જીલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર થયેલ ઇસમ કાસમભાઈ અલારખભાઈ ચૌહાણ ઉ.વ. ૪૩  રહેવાસી જૂના એસ. ટી. વર્કશોપ પાસે જી. ભાવનગરવાળાને  ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

Previous article૧૦ લાખ ટન મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી : ભરત પંડ્યા
Next articleસમતામૂલક સમાજનું નિર્માણ ભાજપની કટિબદ્ધતા : વાઘાણી