નંદકુંવરબા કોલેજમાં ડો.એ.કુમારનું વ્યાખ્યાન

752

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોમર્સ કોલેજ-દેવરાજનગરમાં પી.જી. સેન્ટર ઓફ એમ.કોમ.માં અભ્યાસ કરતી પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે મેનેજમેન્ટ વિષય ઉપર એમકેબીયુના પ્રાધ્યાપક ડો.એ. કુમારનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. ઝડપથી બદલાતા આ યુગમાં કોઈપણ ક્ષેત્રમાં મેનેજમેન્ટનું મહત્વ ખૂબ જ વધતું જાય છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleરાજુલા ખાતેની CZMP લોક સુનાવણીમાં જોરદાર વિરોધ
Next articleવિલાસભારથી બાપુનું કૈલાસગમન પંથકમાં ઘેરો શોક : આજે અંતિમયાત્રા