નંદકુંવરબા મહિલા કોલેજમાં રાજુભાઈ અંધારીયાનું વ્યાખ્યાન

1034

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.કોમ.ની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજુભાઈ અંધારીયાનું જીવનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં તેમને હાલના સમયમાં વિદ્યાર્થી જીવનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ કેટલું છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ હોય તો કઈ રીતે કામમાં આવશે ? મનુષ્યના જીવનમાં એજ્યુકેશન વગર એક ક્ષણમાં કેવા કેવા બનાવો બનતા હોય છે, અને જો તમે ધ્યાન ન રાખો તો આજના સમયમાં જીવનમાં ઉચ્ચ શિક્ષણ ન હોય તો ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ? તેના અનેક ઉદાહરણો આપીને ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

આ ઉપરાંત આજના વિદ્યાર્થીઓએ તેમના ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરી નાની નાની બાબતોનો ખ્યાલ રાખી જીવનમાં તેનો સમયસર અમલ કરવામાં આવે તો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સફળતા મળે જ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ ભણતર એ મનુષ્યના જીવનનું એક અંગ છે, અને તે સમાજમાં કેવો ભાગ ભજવે છે ? અને વિદ્યાર્થી તેના જીવનમાં સમયસર એજ્યુકેશન ન મેળવી શકે તો ભવિષ્યમાં સમાજમાં તેનું સ્થાન ક્યાં હોય છે ? તેની વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleહેન્ડમેઈડ, ચાંદીની રાખડીનો ટ્રેન્ડ સસ્તામાં સસ્તી રાખડી રૂ. ૨૦ની
Next articleનાગેશ્રી શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી