કુડા ગામના યુવાનના મૃતદેહનો પરીવાર દ્વારા પાચમાં દી’એ સ્વિકાર

1356

ઘોઘા તાબેનાં કુંડા ગામનાં દરીયા કાંઠે ગામમાં રહેતાં રત્ન કલાકાર યુવાને ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો બનાવ અંગે મૃતકના પરીવારજનોએ હત્યા થઈ હોવાનાં આક્ષેપ કર્યા હતા અને કલમનો ઉમેરો ન કરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો બનાવના પાંચમાં દિવસે મૃતદેહનો પરીવારજનોએ સ્વીકાર કરી અતીમવિધી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા તાબેના કુડા ગામે રહેતા અશોકભાઈ લાભુભાઈ જાદવ ઉ.૩૨ નામનાં રત્ન કલાકાર યુવાને ગત તા.૭-૮નાં રોજ રોજ દરીયા કાંઠે વૃક્ષ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા ઘોઘા પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો લાશને પી.એમ. અર્થે ભાવનગર સર ટી.માં ખસેડાયો હતો જ્યારે બનાવમાં મૃતક અશોકભાઈનાં પરીવારજનો હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા અને હત્યાની કલમનો ઉમેરો કરી હત્યારા ન ઝડપાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો બનાવ અંગે સીટી મામલતદાર તેમજ પોલીસે સ્ટાફ પેનલ પી.એમ. કરાવી રીપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

બનાવમાં કોળી સમાજનાં આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને કલમનો ઉમરો કરવા માંગ કરી હતી પોલીસે હાલ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ તપાસ હાથ ધરી છે.

જ્યારે પરિવારજનોએ પોલીસની કામગીરી પર વિશ્વાસ રાખી મૃતદેહનો આજે પાંચમા દિવસે સ્વીકાર કરી અંતીમવિધી કરી હતી.

Previous articleભાવનગર ગદ્યસભા આયોજિત જયંત પાઠક સ્મૃતિદિનની વિશિષ્ટ ઉજવણી
Next articleગુસ્તાખી માફ