વિપક્ષી નેતાના પદ માટે મારી દાવેદારી નથી : જયદિપસિંહ

1442

ભાવનગર મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતાની વરણી સંદર્ભે કોંગ્રેસના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા.

ભાવનગર મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકેનો કાર્યકાળ બે માસ પૂર્વે પૂર્ણ થયો છે પરંતુ હજુ સુધી નવા નેતાની વરણી કરવામાં આવી નથી જે સંદર્ભે રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, શૈલેષભાઈ પરમાર સહિતના કાર્યકરો ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને નેતા પદ મેળવવા ઈચ્છુક વ્યક્તિઓને સાંભળ્યા હોત. જો કે વર્તમાન નેતા જયદિપસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, આ નેતા પદ માટે કોઈ જ દાવેદારી નથી તો બીજી તરફ કોંગ્રેસના રહીમભાઈ કુરેશી, ભરતભાઈ, કાન્તીભાઈ સહિત ૭ વ્યક્તિઓએ પદ મેળવવા ઈચ્છા દર્શાવી છે.

Previous articleપાટણા ગામે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કર્યુ
Next articleપ્રગતિશીલ ખેડૂતો માટે મકાઈની મલાઈદાર ખેતી