રાજસ્થાનના જોધપુરમાં બહારી વિસ્તારમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ જતાં આજે ખળભળાટ મચી ગયો હતો. જો કે, આના લીધે પાયલોટનો સહેજમાં બચાવ થઇ ગયો હતો. મિગ-૨૭ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેમાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રચંડ ધડાકા સાથે વિમાન જમીન ઉપર પટકાયું હતું અને બળીને ખાખ થઇ ગયું હતું. આ બનાવમાં પાયલોટ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. હાલના દિવસોમાં મિગ વિમાનોની દુર્ઘટનાઓની ઘટના સતત સપાટી ઉપર આવી રહી છે. થોડાક દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં મિગ-૨૧ ફાઇટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ બનાવમાં પાયલોટનું મોત થયું હતું. બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે તરત હાથ ધરાઈ હતી.