ધોળા દિવસે તસ્કરો મકાનમાં ધુસી ૪પ હજારની મત્તાની ચોરી કરી ગયા

1514

શહેરના કાળીયાબીડ ખાતે આવેલ ગોકુલધામ-ર સોસાયટીના રહેણાંકી મકાનમાં ધોળા દિવસે તસ્કરો ઘરમાં ધુસી જઈ રૂમના કબાટમાં રાખેલા સોનાના ઘરેણા સહિતની મત્તાની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના કાળીયાબીડ ગોકુલધામ-ર પ્લોટ નં. ૩૧ર૮-સીમાં રહેતા પ્રવિણચંદ્ર જેષ્ઠારામ ત્રિવેદી (ઉ.વ.૭૦) મકાનના ઉપરના માળે કોઈ કામ સબબ ગયા હતા તે વેળાએ કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં ધસી જઈ  રૂમનાં કાબટમાં રાખેલ સોનાનું મંગળ સુત્ર-૩ સોનાની વિંટી સહિત કુલ રૂા. ૪પ હજારની મત્તા ઉઠાવી ગયા હતા બનાવ અંગે પ્રવિણચંદ્ર ત્રિવેદીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. રેવરએ હાથ ધરી છે.

Previous articleભક્તિભાવ સાથે શહેરમાં થતી ગણેશ ઉત્સવની ઉજવણી
Next articleએકટીવા, બાઈકનો અકસ્માત સર્જાતા વિદ્યાર્થીનીનું કરૂણ મોત