જોઈ શકીએ અને માણી શકીએ તો…!

712

કશાનો અસ્ત થાય તે આપણને ગમતી બાબત નથી, પરંતુ સુર્યનો અસ્ત થાય ત્યારે સર્જાતી આકાશી રંગોળી અને આપણી નજરના સંજોગો ખૂબ ગમી જાય છે, ઘણીવાર ત્યાં દ્રષ્ટિ ચોંટી જ જાય છે. આંબલા ગામની સીમના શેઢેથી ખેંચાયેલી આ તસવીરમાં ખેતર-વાડીમાં ઉભેલી બાજરીના પાન-પત્તા પણ સુરજદાદાને બાથમાં લઈ વિદાય આપી ફરી પાછા કાલે આવી જજો એમ જણાવી ચૂમી લેતા હોય તેવું લાગે છે..! આવા તો કેટ-કેટલાયે દ્રશ્યો સુર્યાસ્ત વેળાએ માણવા મળે છે, જોઈ શકીએ અને માણી શકીએ તો..!

Previous articleઆયુષ્યમાન ભારત યોજનાનો ૨૩મીથી શુભારંભ
Next articleખેડૂત અકસ્માત સહાયમાં વધારો કરવાનો નિર્ણય