પંડિત દિનદયાળની જન્મજયંતિએ સિહોર ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ

759

એકાત્મ માનવવાદ અને અંત્યોદયનાં પ્રણેતા, પ્રખર રાષ્ટ્રવાદી, મહાન વિચારક અને આપણાં પથદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી પર તેમને સિહોર શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. જેમા સિહોર નગર પાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી, સિહોર શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મલુકા જિલ્લા ઉપપ્રમુખ નંદિનીબેન ભટ્ટ જિલ્લા યુવા મહામંત્રી પરેશભાઈ જાદવ યુવા મોર્ચા પ્રમુખ કરણસિંહ પરમાર યુવા મહામંત્રી પાર્થભાઈ વ્યાસ, મહિલા મોર્ચા પ્રમુખ ભાવનાબેન જોષી જિલ્લા બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પરમાર તેમજ હરપાલસિંહ ગોહિલ, ભગવાનભાઈ મોરી, સતીશભાઈ પરમાર વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleરાજુલા ભાજપ દ્વારા દિનદયાળ જયંતિ ઉજવાઈ
Next articleમોરારિબાપુની જોર્ડન કથામાં યોજાયા અનોખા લગ્ન