કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું

879

સમગ્ર ગુજરાત સહિત અનેક ગામો એવા છે કે જ્યાં ઓછા વરસાદ પડવાના કારણે ખેડૂતો ની પરીસ્થિતિ ખુબજ ખરાબ છે ત્યારે ઓછા વરસાદ ના કારણે બોટાદ જિલાના ખેડૂતો ની પરીસ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે. સારા ચોમાસની આશાએ ખેડૂતો એ વાવણી કરી નાખેલ ત્યારે બોટાદ જિલામાં ઓછા વરસાદ પડવાના કારણે ખેડૂતો નો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે ત્યારે  માઈનોર ચડરવા ડીસ્ટીક ૧૨ /૧૩ તથા માઈનોર ગોધાવટા -ચારણકી  ૧૪ માંથી  ખેડૂતોને જો તાત્કલિક પિયત માટે પાણી આપવામાં આવે તો  જાળીલા, બગડ, મોટી વાવડી, ગુદા, ચદરવા અને વેજલકા ગામનો ખેડૂતો પોતાના પાક ને બચાવી શકે તેમ છે ત્યારે  કેનાલમાં પાણી છોડવામ આવે તેવી માંગ સાથે આજે બોટાદ જિલા અધિક કલેકટર ને ૧૦૦ જેટલા ખેડૂતો દ્વારા પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને જોં આગામી ત્રણ દિવસમાં પાણી નહી છોડવામાં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે ખેડૂતોને ઉપવાસ આદોલન ની ફરજ પડશે.

Previous articleરાજુલા-જાફરાબાદ હાઈ-વે પર ટ્રાફીક પોલીસનો સપાટો : ૮૦ એનસી કેસ કરાયા
Next articleબોટાદ ખાતે કચરા પેટીમાંથી મૃત હાલતે નવજાત બાળક મળી આવ્યું