સ્વામિનારાયણ પ્રાથમિક શાળા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે નવતર કાર્યક્રમ

937

સરદારનગર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાસંકુલ સ્વામિનારાયણ પ્રાથમિક શાળાના આચાર્ય અરૂણભાઈ પટેલ દ્વારા ગાંધી જયંતિની રજા નહીં પરંતુ ચાલો આપણે ઉજવીએ ગાંધી બાપુની યાદમાં વિવિધ કાર્યક્રમો, જેમાં સ્કુલના બાળકો દ્વારા ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબાભાવે, આર્મીમેન વિગેરેની વેશભુષા વક્તૃત્વ સ્પર્ધા ગાંધીજીનું પ્રિય ભજનનું સમુહગાન રાષ્ટ્રભાષા હિન્દી પરીક્ષા ભગવત ગીતા, શ્લોકગાન અને પૂ.બાપુનો સ્વચ્છતાનો સંદેશો લઈ આશરે રપ૦ થી ૩૦૦ બાળકો ઘરે ઘરે ફરી સ્વચ્છતા અંગેનો સંદેશો આપેલ ત્યારે સ્વામિનારાયણ પ્રાથમિક શાળાએ ચાલો ગાંધી જયંતિની રજા નહીં પરંતુ ગાંધી બાપુની યાદમાં કંઈક અલગ કરીએ તેવા ભાવથી દિવસ દરમ્યાન અનેક કાર્યક્રમો ઉજવીએ એક નવતર કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમથી ગુરૂકુળ વિદ્યાસંકુલના સંચાલક કે.પી. સ્વામીએ દરેક બાળકો અને અભિનંદન અને આશિર્વાદ પાઠવ્યા હતા.

Previous articleપરજન હિત એજ સ્વ હિત છે : પૂ. મહંત સ્વામી મહારાજ
Next articleસ્વસ્તિ વિદ્યાલય દ્વારા ગાંધી જન્મજયંતિની ઉજવણી