શાહરુખે સ્વચ્છ ભારત અભિયાનનું સમર્થન કરતાં વડાપ્રધાને આભાર માન્યો

1061

હાલમાં કંઇક એવું બન્યુ કે ખુદ પીએમ મોદીએ બૉલીવુડના દિગ્ગજ એક્ટર શાહરૂખ ખાનનો આભાર માન્યો છે. અત્યારે શાહરૂખ ખાન ફિલ્મ ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે પણ આ બધાની વચ્ચે શાહરૂખે વડાપ્રધાનની યોજના સ્વચ્છ ભારત અભિયાનનું સમર્થન કરતાં વીડિયો પૉસ્ટ કર્યા હતા.

શાહરૂખે પીએમની આ યોજનાના આગળ વધારતા સોશ્યલ મીડિયા પર ત્રણ વીડિયો શેર કર્યા હતા, શાહરૂખે પોતાને સફાઇ અભિયાન સાથે જોડ્યો અને લોકોને સફાઇને લઇને જાગૃતિ લાવવા મેસેજ મોકલ્યો હતો.

શાહરૂખના આ કામને લઇને પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, શાહરૂખને પોતાના બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને આ અભિયાનનો ભાગ બનવા બદલ આભાર માન્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખુલ્લામાં જાહેરમાં શૌચ કરવાથી થતી બિમારીઓ વિશે બતાવી રહ્યો છે.

તમારે શૌચાલયનું નિર્માણ કરવુ જોઇએ અને ખુલ્લામાં શૌચ ના કરવી જોઇએ. આ વાતને લઇે પીએમે ટ્‌વીટ કરતાં લખ્યું છે કે, સ્વચ્છ ભારતનો સપોર્ટ કરવા માટે આભાર અને આશા રાખીએ છીએ કે લોકો આ પૉસ્ટથી કંઇક શીખશે.

Previous articleઓક્સફૈમ બેસ્ટ ફિલ્મ ઓન જેન્ડર ઇકવાલીટી એવોર્ડ ૨૦૧૮!
Next articleલારા દત્તા, ડાર્ઝિંગ પી૩ એવોર્ડ શો’માં થઈ શામિલ!