પાલીતાણાની પ્રા. શાળામાં સ્વાઈન ફ્લુથી રક્ષા પોટલી બાળકોને બાંધવામાં આવી

1012

જિલ્લાભરમાં સ્વાઈન ફ્લુની અસર વધતી જાય છે અને બિમારીનું પ્રમાણ વધવા લાગ્યું છે માટે બાળકોને રોગોથી બચવા માટે ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા પોતાના વર્ગના તમામ બાળકોને આયુર્વેદિક રક્ષા કવચ બાંધી અને સ્વસ્થ બાળક અંતર્ગત પ્રવૃત્તિ કરાવી પોતાના ઘરે પણ પોતાના માતા-પિતાને સ્વચ્છતા સાથે સ્વસ્થતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જરૂર જણાયે આગામી સમયમાં સ્વાઈન ફ્લુ સામે રક્ષણ આપતો ભુવડ ઉકાળો પણ પાલીતાણાની જનતાને વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

 

Previous articleમોટી પાણીયાળી કલસ્ટર કક્ષાના કલા ઉત્સવની થયેલી ઉજવણી
Next articleરાણપુર ખાતે બાલમંદિરમાં બાળકોને લંચ બોક્સ અપાયા