અપહરણના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ ભદ્રાવળ-રના બે ઝડપાયા

948

તળાજા પોલીસ મથકમાં એક વર્ષ પુર્વે નોંધાયેલ અપહરણના ગુનામાં વોન્ટેડ ભદ્રાવળ-ર ગામના બે ઈસમોને એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.  એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો માહીતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા ને સંયુકતમાં મળેલ બાતમી આધારે તળાજા પો.સ્ટે. ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતા આરોપી નટુભાઇ વાલાભાઇ ગોહીલ, દામજીભાઇ સવજીભાઇ પરમાર  રહેવાસી બન્ને ભદ્રાવળ નં-૨ ગામ, તા.તળાજા જી. ભાવનગર વાળાને તેના ઘરેથી ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Previous articleપાલિતાણામાં યુવાને ગળફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો
Next articleકોંગ્રેસ જશ મેળવી ના લે તેવા હેતુથી રાજુલામાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્દઘાટન ભાજપે બંધ રખાવ્યું : ધારાસભ્ય