૨૦૧૮નું અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ નોર્ડહોસ અને રોમરને એનાયત

1307

ઈકોનોમિક્સના ક્ષેત્રે દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામા આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ ઈકોનોમિક્સે સોમવારે જળવાયુ પરિવર્તન અને આર્થક વિકાસ પર શોધ માટે વિલિયમ ધ નોર્ડહોસ અને પોલ એમ.રોમરને અર્થશાસ્ત્ર નોબેલથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.પાછલા વર્ષે ઈકોનોમિક્સનું નોબર પુરસ્કાર રિચર્ડ એચ થેલરને મળ્યો હતો. તેમને આ પુરસ્કાર બિહેવિયરલ ઈકોનોમિક્સમાં તેમના યોગદામ માટે આપવામા આવ્યો હતો.વિલિયમ નોર્ડહોસ યેલ યૂનિવર્સિટમાં પ્રોફેસર છે.

તેમને પોતાની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન (પીજી) યેલ યુનિવર્સિટીથી જ કર્યુ છે. તેમને પ્રતિષ્ઠિત મૈસાચુસેટ્‌સ ઈન્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)થી પોતાની પીએચડી પૂરી કરી છે. જ્યારે પોલ રોમન ન્યૂયોર્ક વિશ્વવિદ્યાલયના સ્ટર્ન શાળા ઓફ બિઝનેસ જોડાયેલ છે.

આ બંને વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રીઓને (વિલિયમ ધ નોર્ડહોસ અને પોલ એમ. રોમન)ને પુરસ્કાર રકમના રૂપમાં ૯૦ લાખ સ્વીડિશ ક્રોનર (લગભગ ૭.૩૫ કરોડ રૂપિયા) મળશે. તેમને ૧૦ ડિસેમ્બરે સ્ટોકહોમમાં કિંગ કાર્લ ઠફૈં ગુસ્તાફના હાથે એક ઔપચારિક કાર્યક્રમાં આ ઈનામ આપવામા આવશે. નોબેલ પુરસ્કારોની શરૂઆત કરનાર એલફ્રેડ નોબેલની વરસીના દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે.

જણાવી દઈએ કે, આ વખતે સાહિત્યનું નોબેલ પુરસ્કાર ના આપવાના નિર્ણય કર્યો છે. પાછલા ૭૦ વર્ષોમાં એવું પ્રથમ વખત બન્યું છે કે, જ્યારે સાહિત્યનું નોબેલ પુરસ્કાર આપવામા આવશે નહી.

Previous articleચૂંટણી તારીખોની જાહેરાત બાદ ગઠબંધન અંગે નિર્ણય
Next articleથાઇલેન્ડમાં ગેંગવોર, ફરવા ગયેલા ભારતીય સહિત ૨ પર્યટકોનાં મોત, ૫ની હાલત ગંભીર