દેશમાં લાંચ આપનારાની સંખ્યા વધી

1235

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભલે એવા દાવા કરે કે, તેમની સરકાર ભ્રષ્ટાચારને કાબુમાં લઇ રહા છે પણ છેલ્લા એક વર્ષમાં 56 ટકા નાગરિકોએ જુદા-જુદા કામ માટે લાંચ આપી હતી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા એન્ડ લોકલ સર્કલ્સ નામની સંસ્થા દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં ચોંકાવનારા તારણો આવ્યા હતા.

આ સર્વેમાં 1.60 લાખ લોકોએ જવાબ આપ્યા હતા. આ તારણો એવા સમયે આવ્યા છે કે જ્યારે દુનિયાભરનાં દેશોમાં ભ્રષ્ટાચારનાં સંદર્ભમાં ભારતનું સ્થાન 79થી ગગડીને 81માં સ્થાને પહોંચી ગયુ છે.

મહત્વની વાત એ છે કે, ગયા વર્ષ કરતા આ વર્ષે લાંચ આપનારાઓની સંખ્યા વધી ગઇ. આ સર્વેનાં તારણો મુજબ, 58 ટકા નાગરિકોએ એમ જણાવ્યું કે, તેમના રાજ્યમાં એન્ટી-કરપ્શન હેલ્પલાઇન નથી. જ્યારે 33 ટકા જેટલા નાગરિકોએ કહ્યું કે, એન્ટી-કરપ્શન રોકવા માટેની હેલ્પલાઇન વિશે તેમને કોઇ ખબર જ નથી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅક્ષય કુમારે છોડી ‘હાઉસફુલ-4’