પ્રધાન એમજે અકબર સામે આક્ષેપો સંદર્ભે તપાસ થશે

946

મી ટુ કેમ્પેઇન બાદ વિવાદોના ઘેરામાં આવેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરની મુશ્કેલી સતત વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે, અકબરની સામે મુકવામાં આવેલા જાતિય સતામણીના આક્ષેપોમાં ઉંડી તપાસ કરવામાં આવશે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, મંત્રીની સામે મુકવામાં આવેલા આક્ષેપોમાં કેટલી વાસ્તવિકતા છે તેમાં પણ તપાસ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું હતું કે, આક્ષેપો સાચા છે કે કેમ તેમાં પણ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, તેમના નામનો ઉપયોગ કરીને કંઇપણ લખી શકાય છે પરંતુ તપાસ ખુબ મહત્વપૂર્ણ બાબત છે. અમિત શાહનું નિવેદન ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે મી ટુ અભિયાન હેઠળ વિવાદોમાં આવેલા એમજે અકબર પર ભાજપ હાઈકમાન્ડ તરફથી પ્રથમ વખત આ મુજબની પ્રતિક્રિયા આવી છે.

એમજે એકબર પર આક્ષેપ મુકવામાં આવ્યા છે કે, અનેક મિડિયા સંસ્થાઓમાં એડિટર તરીકે કામ કરતી વેળા અનેક મહિલા પત્રકારો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વિવાદોને લઇને પાર્ટી ખુબ જ ગંભીર છે. અમિત શાહે કહ્યું છે કે, કોઇપણ આરોપો મુકતા પહેલા સોશિયલ મિડિયા પર અહેવાલ આવે છે. આક્ષેપ મુકતા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરીકે બની ગયા બાદ આડેધડ આક્ષેપબાજી પણ થઇ રહી છે. એમજે અકબર પર આક્ષેપ મુકવામાં આવ્યા બાદ નકારાત્મક સંદેશા જઇ રહ્યા છે અને પાર્ટી આને લઇને ચિંતાતુર છે. શુક્રવારના દિવસે અકબરની સામે વધુ એક એકાઉન્ટથી મી ટુહેઠળ આક્ષેપો કરવામાં આવ્યા હતા. સોશિયલ મિડિયા ઉપર જાતિય સતામણીના આરોપોને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાર્ટી પણ જટિલ સ્થિતિનો સામનો કરી રહી છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અઠવાલે કહ્યું છે કે અકબરની સામે આરોપ યોગ્ય છે તો તેમને રાજીનામુ આપી દેવું જોઇએ.

એમજે અકબર હાલમાં આફ્રિકાના પ્રવાસ ઉપર છે. તેઓ આવતીકાલે સ્વદેશ પહોંચશે. એક વિદેશી પત્રકાર દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તેનો આક્ષેપ છે કે, મિડિયા સંસ્થામાં ૨૦૦૭માં ઇન્ટર્નલની ભૂમિકા અદા કરતી વેળા તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. એમજે અકબરે મર્યાદા પાર કરીને આક્ષેપબાજી કરી હતી. સાથે સાથે જાતિય સતામણી કરી હતી. મહિલા પત્રકારે આક્ષએપ કર્યો હતો કે, શારીરિક ખરાબ વર્તન તેની સાથે કરવામાં આવ્યું હતું. તેના માતાપિતા ૯૦ના દશકમાં દિલ્હીમાં વિદેશી પત્રકાર તરીકે સક્રિય હતા. તેમના મારફતે તે એમજે અકબરને મળી હતી. બીજી બાજુ અકબર ઉપર આક્ષેપ કરાયા બાદ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અકબરનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે, આ મામલો અકબર અને મહિલાઓ વચ્ચેનો છે.

Previous articleરાફેલ વિવાદ : રાહુલ ગાંધી HALના કર્મીઓને મળ્યા
Next articleગુવાહાટીમાં ભર બપોરે બોમ્બ બ્લાસ્ટ : ચાર લોકો ઘાયલ